“
સદગુરુ શરણાગતને તારે
કેવળ કૃપા કરીને ઉગારે
સદગુરુ શરણાગતને તારે
ના કોઈ કારણ નહીં કો' હેતુ
અમથું વહાલ વહાવે.
જગ મંગલનું ચિંતન કરતાં
નિશદિન અલખ જગાવે
સદગુરુ શરણાગતને તારે
વિષયી જીવ પર કરૂણા રાખે
ભવનું તમસ હટાવે
ના આદેશે ના ઉપદેશે
છે તેવો જ સ્વીકારે
”